મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન

અંજારની સંસ્થા ગીવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝીક તથા ઇઝી આઈ.ડી. ના સંયુક્ત ઉપક્રમે ‘મા પર્વ’ નિમિતે માધાપરના શ્રીહરિ શાંતિનિકેતન વયસ્ક વિશ્રામ સ્થાન ખાતે દેવી પૂજાનું આયોજન થયું. જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ડૉ. કૃપેશ નયના શશીકાંત, ડૉ. પૂજા ઠક્કર, પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ ‘યા દેવી સર્વભુતે’ ના ભાવથી દેવી સ્વરૂપ વૃદ્ધ માતાઓનું પૂજન કર્યું અને આશીર્વાદ મેળવ્યા તથા ગૂંજે ગીતા પ્રસ્તુત કરી જેમાં ગીતા પઠન માટે પચાસ થી પણ વધુ વડિલો જોડાયા.

Read more

ગુજરાત દિવસ નિમિતે ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીત સાથે માતૃભાષા થકી થયું માતૃભૂમિનું પૂજન

ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા હાલમાં ચાલી રહેલા ‘મા પર્વ’ અંતર્ગત માતૃભૂમિને વંદન કરવા ગુજરાત દિવસ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીતના વિડિયોનું શ્રી ત્રિકમદાસજી મહારાજને હસ્તે ગોવર્ધન ધામ ખાતે લોકાર્પણ કરાયું. 

Read more

Maa પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા વ્રજ ગૌશાળામાં ગૌ માતા સમક્ષ ગૂંજે ગીતાનો કાર્યક્રમ યોજાયું તથા બાળકોને ગૌ પૂજનના સંસ્કાર શીખવવામાં આવ્યા.

Read more

માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ ૨૦૨૩ નું કચ્છ ખાતે શુભારંભ

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે માતૃ પૂજા સાથે અંજારના ગીવ વાચા સેન્ટર ખાતે મા પર્વ ૨૦૨૩ ની શરુઆત થઇ. આ સંસ્થા ભારતીય સંસ્કાર સાથે વિશ્વભરમાં મધર્સ ડે ને  મા પર્વ રૂપે ત્રીસ દિવસીય તહેવાર તરીકે ઉજવી રહી છે. આ વર્ષે આ કાર્યક્રમનું શુભારંભ માતૃ પૂજા સાથે કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માતાઓ તથા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજીવભાઈ અંજારીયા, શ્રી એન. કે. ધોરિયા, પ્રિન્સિપલ શ્રીમતિ જલ્પાબેન તેમજ શ્રીમતિ સ્મિતાબેન ઝવેરી સાથે ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કરે હાજરી આપી હતી.

Read more

ગીતા જયંતિ નિમિતે ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય રજુઆત

હાલમાં જ તારીખ 3-11-2022 ના રોજ ગીતા જયંતિ નિમિતે અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા 30 દિવસીય ‘ગીતા જયંતિ પર્વ-૨૦૨૨’ નું સમાપન ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું. તા. 3 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીના આ પર્વ અંતર્ગત અનેક કાર્યક્રમો થયા; જેમાં ગુંજે ગીતા સંગીત કાર્યક્રમ, ગીતા શ્લોક પઠન, ઓપન બુક ગીતા પરિક્ષા, કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ, ક્યાં છે કાનો, શબ્દ વંદના, ગીવ વાચા એવોર્ડસ, તેમજ બાળ કવિ સંમેલન કાર્યક્રમનો સમાવેશ થયો. આ કાર્યક્રમોમાં ઓનલાઈન અને ઓફલાઈન બન્ને માધ્યમથી લોકો જોડાયા. આ પર્વમાં વિશ્વના દરેક ગીતા-પ્રેમી વ્યક્તિઓ, ગીતકારો, સંગીતકારો, ગાયકો, નર્તકો, સાહિત્યકારો, વક્તાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કૃપ મ્યુઝિક સંસ્થાએ “ગીતા જયંતી પર્વ ૨૦૨૨” માટે પોતાની બધી જ યુ-ટયુબ ચેનલો, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ નિશુલ્ક આપી વિશ્વભરમાં ગીતાના સંદેશને લઇ જવાની સેવા આપી છે.

Read more

‘સતનામ વાહેગુરૂ’ મંત્રનું ગુરૂનાનક જયંતિએ ગાંધીધામ ખાતે થયું લોકાર્પણ

ગાંધીધામ તા. 8-11-2022 ગુરૂનાનક જયંતિ નિમિતે ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ‘સતનામ વાહેગુરૂ મંત્ર’ આલ્બમ ગાંધીધામ ગુરૂદ્વારા ખાતે લોંચ કરાયું. ગીત નું લોન્ચિગ ગુરુ નાનક જયંતીના પ્રસંગે ગાંધીધામ ના ગુરૂદ્વારા ના સેક્રેટરી સતપાલ સિંઘ, અમૃતસરના ગાયક જગતાર સિંઘ, મોહિન્દર સિંઘ અને કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કરના વરદ હસ્તે કરવામાં આવ્યું તથા વાઈસ પ્રેસિડન્ટ ગુરદિપ સિંઘ અને રાજેશ ઈશરાનીએ બાળ કલાકારોનું સન્માન પણ કર્યું હતું.

Read more

ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ

અંજાર સ્થિત ગીવ વાચા ફાઉન્ડેશન તથા કૃપ મ્યુસિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ કરવામાં આવ્યો. આ પર્વ ૩ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર એક માસ સુધી ચાલશે.

આ સાથે જ ૨૭ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર નું સપ્તાહ “કૃપ મ્યુસિક ફેસ્ટીવલ” તરીકે ઉજવવા માં આવશે. જેમાં જાણીતા ગાયક, ગીતકાર, સંગીતકાર, કવિઓ, સાહિત્યકરો, નર્તકો તેમજ અન્ય કલાકારો પોતાની કલા થકી કૃષ્ણભક્તિ રજુ કરશે. આ સમગ્ર કાર્યક્રમ ની પરિકલ્પના ડૉ. કૃપેશ ઠક્કર એ કરી છે.

Read more