કચ્છની ૧૧ વર્ષીય દીકરી વાચા ઠક્કર એ ‘સનાતન વર્ડ સર્ચ’ સાથે કર્યું સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ
હાલમાં અંજાર કચ્છની દીકરી ૧૧ વર્ષીય બાળ લેખિકા વાચા ઠક્કર એ ‘સનાતન વર્ડ સર્ચ’ પુસ્તક ભારતમાતાના ચરણોમાં સમર્પિત કરી સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કર્યું. કોઈ લેખકે ભારતમાતાને કૃતિ સમર્પિત કરી લોકાર્પણ કર્યું હોય તેવું પહેલી વાર બન્યું છે. આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકાદાસજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું કે “સનાતન ધર્મ પર અંગ્રેજી ભાષામાં બાળ સાહિત્ય બને તે આજના સમયની માંગ છે, ત્યારે અંજારની દીકરી એ આ ક્ષેત્રમાં પહેલ કરી કચ્છને ગૌરવ અપાવ્યું છે.” તો વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઇ સચદે શુભેચ્છા આપતાં કહ્યું કે “એક બાળક દ્વારા બાળકો માટે સનાતન વિષય પર સર્જનાત્મક પુસ્તક બને એ વિશિષ્ટ ઉપલબ્ધિ છે અને પુરસ્કાર મેળવવા યોગ્ય છે. આ પુસ્તક અને લેખિકા અન્ય બાળકો અને યુવાન સર્જકો માટે પ્રેરણારૂપ બની રહશે.”
Read more