Arjun Uvacha: The Spiritual Yatra Book Review by Dr. Ramesh Bhatt
Book Review by: Dr. Ramesh Bhatt ‘Rashmi’
આ પુસ્તકની વિશેષતાઓ તો ઘણી છે, મારા સાહિત્યજગતના ચાલીસ વરસના અનુભવમાં પિતા પુત્રીના સંવાદ સાથે કુરુક્ષેત્રમાં અર્જુનને મનમાં જાગેલા પ્રશ્નોની જેમ અહીં દીકરી વાચાનાં બાળ માનસમાં ‘કૃષ્ણ’, ‘ગલુડીયાંનાં મૃત્યુ’, ‘કૃષ્ણ હોવાની પ્રતીતિનાં સ્થાનો’, ‘કૃષ્ણનો જીવન તત્વો સાથે અનુબંધ’ અને એના પ્રત્યુત્તર રુપે ડૉ.કૃપેશની કાવ્ય રચનાઓનું લય માધુર્ય, શબ્દ વૈભવ, ભાવજગતનું સૌંદર્ય, લાઘવ, માર્દવ યુક્ત કવિકર્મ નવોન્મેષો પ્રતિપાદિત કરે છે.
‘કર્મયોગ’ ને મુખ્યત્વે વ્યાખ્યાયિત કરતા ગીતાના શ્લોકોની પસંદગી ડૉ. કૃપેશની કર્મનાં કુરુક્ષેત્રના સવ્યસાચીપણાંને સાબિત કરે છે. ભક્તિરચનાઓમાં સ્તોત્રોની પંક્તિઓ તેમજ અંગ્રેજી શબ્દો પણ કાવ્યલય પામે છે.
અધ્યાત્મ એટલે પ્રેમ, પ્રેમ પામવા આશિષ મેળવવા ‘સેવા પરમો ધર્મ’ થી દીક્ષિત ડૉ. કૃપેશની લલિત કળાઓનું અવતરણ… દેદીપ્યમાન બની ઝળહળે છે.
સંતાનો પર્વ અને વાચાને ઘર આંગણે જ તપોવન કે ગુરુકૂળના સંસ્કારો આપતું આ દંપતી અને સંસ્કાર સમૃદ્ધ એમનું પરિવાર ખરેખર જંગમતીર્થ છે.
પ્રકરણવાર આસ્વાદ, રસદર્શન અને વિવેચન માટે કહી શકાય કે ‘આ પુસ્તક કેટલાય મુમુક્ષુ, જિજ્ઞાસુઓનાં જીવનમાં સંસ્કાર, કળા, સમજણ સ્થાપશે.
– ડૉ. રમેશ ભટ્ટ (રશ્મિ)
રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા
સંગીતમય પ્રસ્તુતિ
આ પુસ્તકમાં વણાયેલા ગીતો લેખક ડૉ. કૃપેશસંગીતબ ઠક્કર એ પોતાના આલ્બમ “ક્યાં છે કાનો?” માં સંગીતકાર અને ગાયક સ્વરૂપે રજુ કર્યાં છે.
To listen to Kyan Che Kano.
VERDICT
પ્રકરણવાર આસ્વાદ, રસદર્શન અને વિવેચન માટે કહી શકાય કે ‘આ પુસ્તક કેટલાય મુમુક્ષુ, જિજ્ઞાસુઓનાં જીવનમાં સંસ્કાર, કળા, સમજણ સ્થાપશે.’
Writer’s Rating: 4.5/5
The book has been already featured in Amazon’s bestsellers in various categories including Bhagavad Gita, Gujarati eBooks, and Spiritual Self-Help books.



PUBLISHER
Give Vacha Foundation and Krup Music Publishing.
You can buy or read Arjun Uvacha: The Spiritual Yatra book on Amazon Kindle.